Advertisement

  • ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- ઉપવાસની થાલીપીઠ, ફરાળી વાનગી

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- ઉપવાસની થાલીપીઠ, ફરાળી વાનગી

By: Jhanvi Fri, 23 Mar 2018 10:07 PM

ચૈત્ર નવરાત્રી ફેસ્ટિવલ 2018- ઉપવાસની થાલીપીઠ, ફરાળી વાનગી

ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વડે બનાવવામાં આવે છે. વધુમાં તેમાં ખમણેલા બટાટા અને મગફળીનો ભુક્કો મેળવવામાં આવ્યો છે, અને તેની સાથે લીંબુનો રસ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાથી આ એક ઉપવાસની મજેદાર વાનગી બને છે.

અહીં યાદ રાખો કે તેને વધુ લિજ્જતદાર બનાવવા માટે તેમાં સિંધલ મીઠું ઉમેરી, સારી માત્રામાં કોથમીર વડે સજાવીને ગરમા ગરમ લીલી ચટણી સાથે પીરસવા.

ઘટકો

૧/૨ કપ રાજગીરાનો લોટ
૧/૪ કપ છોલીને ખમણેલા કાચા બટાટા
૨ ટેબલસ્પૂન સેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
સિંધવ મીઠું સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ઘી , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી

કાર્યવાહી

* એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં આશરે ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો.

* હવે કણિકના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

* એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું ઘી ચોપડી લો.

* તે પછી તમારી હાથની આંગળીઓ પર પણ થોડું ઘી લગાડી કણિકનો એક ભાગ તવા પર મૂકી તમારી આંગળીઓ વડે તેને દબાવતા જઇ ૧૦૦ મી. મી. (૪”)નો ગોળાકાર તૈયાર કરો.

* આ થાલીપીઠને થોડા ઘી વડે, તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબ્બા દેખાય ત્યાં સુધી શેકી લો.

* રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૩ થાલીપીઠ તૈયાર કરો.

* લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.