પાલક અને દહીંનું જોડાણ પૌષ્ટિક ગણાય છે. એટલે આ પાલકના રાઈતાને પણ તેવું ગણી શકાય. મરી અને સાકર આ રાઈતાને સ્વાદીષ્ટ બનાવે છે. જ્યારે મરચાં તેને તીખાશ આપે છે. પાલકને બાફવાથી રાઇતું સહેલાઈથી તૈયાર થાય છે અને પેટ માટે પણ અનુકુળ બને છે.
સામગ્રી૧/૨ કપ અર્ધ-ઉકાળેલી અને ઝીણી સમારેલી પાલક
૧ ૧/૨ કપ ઘટ્ટ દહીં , જેરી લીધેલી
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચપટીભર સાકર
મીઠું અને કાળા મરીનું તાજું પાવડર , સ્વાદાનુસાર
વિધિ 1. બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમા ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
2. તે પછી તેને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક રાખી મૂકો.
3. ઠંડુ પીરસો.